કબજિયાત, ગેસ અને પેટ ફૂલવાથી છો પરેશાન? બાબા રામદેવે જણાવ્યા 5 યોગાસન, જડમૂળથી મટી જશે બીમારી!

By: nationgujarat
15 Dec, 2025
Yoga For Constipation Relief : આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં કબજિયાત અને ગેસની સમસ્યા સામાન્ય બની રહી છે. આજના યુગમાં લાંબા સમય સુધી બેસીને કામ કરવું, સમય પર ભોજન ન લેવું, તણાવ અને ઊંઘની ઉણપ પણ પેટ સાથે જોડાયેલી આ સમસ્યાને વધારી દે છે. તમે યોગની મદદથી ન માત્ર શરીરને, પરંતુ મનને પણ સંતુલનમાં રાખી શકો છો. યોગ ગુરુ બાબા રામદેવના મતે, નિયમિત યોગ અભ્યાસથી પાચન તંત્ર મજબૂત થાય છે અને આંતરડાની પ્રવૃત્તિ સુધરે છે, જેનાથી કબજિયાત અને ગેસની સમસ્યા ઓછી થાય છે.યોગ પેટના સ્નાયુઓને સ્ટ્રેચ કરે છે, લોહીનો પ્રવાહ વધારે છે અને પાચન ક્રિયાને સારી બનાવે છે. સાથે જ તે માનસિક તણાવને પણ ઘટાડે છે, જે પેટની સમસ્યાઓનું એક મોટું કારણ માનવામાં આવે છે. બાબા રામદેવના કહેવા પ્રમાણે, યોગ માત્ર સારવાર જ નથી, પરંતુ જીવનમાં અનુશાસન અને સંતુલન લાવવાનું એક માધ્યમ છે. આ પાંચ આસનો પેટના સ્નાયુઓ પર સીધો દબાવ લાવે છે અને આંતરડાની ગતિમાં સુધારો કરે છે.
પવનમુક્તાસન (Pawanmuktasana): પવનમુક્તાસનને ગેસ કાઢનારું આસન પણ કહેવામાં આવે છે. આ યોગાસન પેટમાં ફસાયેલા ગેસને બહાર કાઢવામાં મદદ કરે છે. આનાથી પેટનો સોજો ઓછો થાય છે અને મળત્યાગ સરળ બને છે. રોજ તેનો અભ્યાસ કરવાથી પાચન ક્રિયા સારી થાય છે અને પેટ સાફ રાખવામાં મદદ મળે છે.ઉત્તાનપાદાસન (Uttanpadasana): આ આસન પેટના સ્નાયુઓને મજબૂત અને ટોન કરે છે. તેના અભ્યાસથી આંતરડાની પ્રવૃત્તિ ઝડપી થાય છે, જેનાથી જમા થયેલો ગેસ બહાર નીકળે છે. નિયમિત રીતે ઉત્તાનપાદાસન કરવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે અને પાચન તંત્ર સક્રિય રહે છે.નૌકાસન (Naukasana): નૌકાસન પેટના સ્નાયુઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે પાચન ક્રિયાને સુધારે છે અને પેટ પર હળવા માલિશની જેમ કામ કરે છે. તેનાથી ગેસ, અપચો અને કબજિયાતની સમસ્યા ધીમે ધીમે ઓછી થવા લાગે છે.સેતુબંધાસન (Setubandhasana): સેતુબંધાસન કરવાથી પેટ અને છાતીના ભાગ પર હળવો દબાવ પડે છે, જેનાથી પાચન શક્તિ વધે છે. આ આસન ગેસ, એસિડિટી અને પેટના દુખાવામાં પણ રાહત આપવામાં મદદ કરે છે

માલાસન (Malasana): માલાસન મળત્યાગને સરળ બનાવે છે અને કબજિયાતમાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ આસન દરમિયાન હૂંફાળું પાણી પીવાથી તેની અસર વધુ વધી શકે છે. આ બધા યોગાસનોનો અભ્યાસ રોજ સવારે ખાલી પેટે અથવા ભોજનના થોડા કલાકો પછી કરવાથી કબજિયાત અને ગેસની સમસ્યામાં સ્પષ્ટ સુધારો જોવા મળી શકે છે.
બાબા રામદેવ ભારપૂર્વક જણાવે છે કે, કબજિયાત અને ગેસની સમસ્યામાંથી કાયમી રાહત મેળવવા માટે નિયમિતપણે આ યોગ આસનો કરવા જરૂરી છે. યોગની સાથે-સાથે આહારમાં ફાઇબરથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો, પુષ્કળ પાણી પીવું અને તણાવમુક્ત રહેવું પણ એટલું જ જરૂરી છે. જો તમને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા હોય, તો યોગ શરૂ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ન્યૂઝ18 ગુજરાતી આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)

Related Posts

Load more